عَن أَنَسِ بْنِ مَالِكٍ رضي الله عنه قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«مَا بَالُ أَقْوَامٍ يَرْفَعُونَ أَبْصَارَهُمْ إِلَى السَّمَاءِ فِي صَلاَتِهِمْ»، فَاشْتَدَّ قَوْلُهُ فِي ذَلِكَ، حَتَّى قَالَ: «لَيَنْتَهُنَّ عَنْ ذَلِكَ أَوْ لَتُخْطَفَنَّ أَبْصَارُهُمْ».
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 750]
المزيــد ...
અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«લોકોને શું થઈ ગયું છે કે તેઓ નમાઝમાં પોતાની નજરો આકાશ તરફ ઉઠાવે છે», નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમના વિષે સખત વાત કહી, અહીં સુધી કહ્યું: «તેઓ આમ કરવાથી રુકી જાય અન્યથા તેમની આંખોની દૃષ્ટિ છીનવી લેવામાં આવશે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહુલ્ બુખારી - 750]
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ લોકોને પોતાની આંખો નમાઝના સમયે આકાશ તરફ ઉઠાવવાથી સચેત કર્યા છે, ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ખૂબ જ ગંભીર અને સખત ઠપકો આપતા જણાવ્યું કે જે કોઈ પણ આમ કરશે, તેની આંખોની દૃષ્ટિ છીનવાઇ જશે, અને એટલી જડપી છીનવાઇ જશે કે તેને ખ્યાલ પણ નહીં આવે કે તે પોતાની દૃષ્ટિથી વંચિત થઈ ગયો.