عَنْ عَائِشَةَ رضي الله عنها قَالَتْ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«الْمَاهِرُ بِالْقُرْآنِ مَعَ السَّفَرَةِ الْكِرَامِ الْبَرَرَةِ، وَالَّذِي يَقْرَأُ الْقُرْآنَ وَيَتَتَعْتَعُ فِيهِ، وَهُوَ عَلَيْهِ شَاقٌّ، لَهُ أَجْرَانِ».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 798]
المزيــد ...
આઈશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«જે વ્યક્તિ કુરઆન પઢવામાં નિષ્ણાંત હોય, તે સન્માનિત અને નેક ફરિશ્તાઓ સાથે હશે, અને જે વ્યક્તિ કુરઆન પઢવામાં નિષ્ણાંત ન હોય અને અટકી અટકીને કુરઆન પઢે, અને તેને કુરઆન પઢવામાં કઠિનાઈ થતી હોય, તેના માટે બમળો સવાબ છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 798]
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જે વ્યક્તિ કુરઆન પઢે અને તેને સચોટ યાદ હોય અને તે પઢવામાં નિષ્ણાંત હોય, તો તે આખિરતમાં સન્માનિત ફરિશ્તાઓ સાથે હશે, જે તેનો બદલો હશે અને જે વ્યક્તિ કુરઆન પઢે છે અને તે અટકી અટકીને પઢે છે, અને તે પોતાની કમજોર યાદશક્તિના કારણે પણ ધીમે ધીમે પઢતો હોય અને આ કાર્યમાં તેને કઠિનાઈનો સામનો કરવો પડતો હોય, તો તેના માટે બમળો સવાબ છે, એક પઢવાનો સવાબ અને બીજો પઢવામાં કઠિનાઈનો સવાબ.