عَنْ عَلِيٍّ رَضِيَ اللَّهُ عَنْهُ عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«مَنْ أَصَابَ حَدًّا فَعُجِّلَ عُقُوبَتَهُ فِي الدُّنْيَا فَاللَّهُ أَعْدَلُ مِنْ أَنْ يُثَنِّيَ عَلَى عَبْدِهِ العُقُوبَةَ فِي الآخِرَةِ، وَمَنْ أَصَابَ حَدًّا فَسَتَرَهُ اللَّهُ عَلَيْهِ وَعَفَا عَنْهُ فَاللَّهُ أَكْرَمُ مِنْ أَنْ يَعُودَ فِي شَيْءٍ قَدْ عَفَا عَنْهُ».

[حسن] - [رواه الترمذي وابن ماجه] - [سنن الترمذي: 2626]
المزيــد ...

અલી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«જો કોઈ વ્યક્તિ પર (કોઈ પાપની સજા રૂપે કાનૂની) હદ દુનિયામાં જલ્દી લાગું કરવામાં આવે, તો અલ્લાહ તઆલા પોતાના બંદા પર તે સજા ફરીવાર આપવામાં ખૂબ જ ન્યાયી છે, અને જો કોઈ પાપ કરે અને અલ્લાહ તેને છુપાવી દે, અને તેને માફ કરી દે, તો અલ્લાહ એટલો ઉદાર છે કે તેણે કોઈ વસ્તુમાં આપેલી માફી પછી લઈ લે».

[હસન] - [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સુનન્ અત્ તિર્મિઝી - 2626]

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જો કોઈ વ્યક્તિ એવો ગુનોહ કરે, જેના પર શરીઅતે કોઈ સજા નક્કી કરી હોય, જેમકે વ્યભિચાર અને ચોરીની સજા, અને તેને દુનિયામાં જ સજા આપવામાં આવે, અને હદ લાગું કરવામાં આવે, તો તે સજા તે ગુનાહને ખત્મ કરી દે છે, અને આખિરતમાં તેની સજા ખત્મ થઈ જાય છે; કારણકે અલ્લાહ ખૂબ જ કૃપાળુ અને દયાળુ છે કે પોતાના બંદાને એક જ ગુનાહની સજા બે વાર ન આપે, અને જો વ્યક્તિ ગુનાહ કરે અને અલ્લાહ તઆલા તેના ગુનાહને છુપાવી લે, અને તેને દુનિયામાં સજા આપવામાં ન આવે, અને માફ કરી દરગુજર કરવામાં આવે, તો અલ્લાહ તઆલા એટલો કૃપાળુ અને ઉદાર છે કે જે ગુનાહને તેણે માફ કરી દીધી છે તેને પણ માફ કરી દે.

હદીષથી મળતા ફાયદા

  1. અલ્લાહના મહાન ન્યાય, ઉદારતા, અને કૃપાનું વર્ણન.
  2. દુનિયામાં લાગું કરવામાં આવેલી સજા ગુનાહને ખત્મ કરી દે છે.
  3. જે વ્યક્તિ કોઈ એવો ગુનોહ કરે જેના પર કોઈ સજા નક્કી હોય, તો તે અલ્લાહના છુપાવવા પર પોતે પણ તેને છુપાવે, અને તૌબા કરવામાં ખૂબ જ ઉતાવળ કરે.
ભાષાતર જુઓ
ભાષા: અંગ્રેજી ઇન્ડોનિષયન બંગાલી વધુ (30)
વધુ