+ -

عَنْ عِيَاضِ بْنِ حِمَارٍ أَخِي بَنِي مُجَاشِعٍ رَضيَ اللهُ عنه قَالَ: قَامَ فِينَا رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ ذَاتَ يَوْمٍ خَطِيبًا، فَقَالَ: وَسَاقَ الْحَدِيثَ وَفِيهِ:
«وَإِنَّ اللهَ أَوْحَى إِلَيَّ أَنْ تَوَاضَعُوا حَتَّى لَا يَفْخَرَ أَحَدٌ عَلَى أَحَدٍ، وَلَا يَبْغِي أَحَدٌ عَلَى أَحَدٍ».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2865]
المزيــد ...

ઇયાઝ બિન હિમાર રઝી અલ્લાહુ અન્હુ જેઓ બનૂ મુશાજિઅ કબીલાના હતા, તેઓ રિવાયત કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસ્સલમ એક દિવસ વચ્ચે ઉભા થયા અને અમને ખુતબો આપ્યો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસ્સલમએ કહ્યું:
«અલ્લાહ તઆલાએ મારા તરફ વહી કરી છે, તમે વિનમ્રતા અપનાવો, જેથી કોઈ બીજા સમક્ષ પોતાના પર ઘમંડ ન કરે અને કોઈ કોઈના પર અત્યાચાર પણ ન કરે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 2865]

સમજુતી

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સહાબા વચ્ચે ઉભા થયા અને ભલામણ કરતા કહ્યું: નિઃશંક અલ્લાહ તઆલાએ મારા તરફ વહી કરી છે કે લોકોએ એકબીજા પ્રત્યે નમ્ર રહેવું જોઈએ, લોકો સાથે વિનમ્રતા અપનાવવી, અહીં સુધી કે કોઈ કોઈના વંશ, ધન દૌલત, તેમજ માન સન્માનના અથવા કોઈ પણ વસ્તુના આધારે કોઈના પર મોટાઈ ન કરે, અને કોઈ બીજાના પર જુલમ અને અત્યાચાર ન કરે.

હદીષથી મળતા ફાયદા

  1. આ હદીષમાં વિનમ્રતા અપનાવવા તેમજ અહમ અને મોટાઈથી દૂર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
  2. અત્યાચાર અને ઘમંડ કરવી હરામ છે.
  3. અલ્લાહ માટે વિનમ્રતા તેના બે અર્થ થાય છે: પહેલો: અલ્લાહના દીન સમક્ષ વિનમ્ર બનવું, તેથી દીન પ્રત્યે ઘમંડી ન બનવું, ન તો તેના આદેશોનું પાલન કરવા પર ઘમંડ કરવું, બીજું: અલ્લાહ માટે અલ્લાહના બંદાઓ સમક્ષ વિનમ્રતા અપનાવવી, ન તો તેમના ભયથી, ન તો તેમની પાસે જે કઈ છે તેની આશાથી, ફક્ત સર્વશ્રેષ્ઠ અલ્લાહ માટે.
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી સ્વાહીલી થાય આસામી الأمهرية الهولندية الدرية الرومانية المجرية الجورجية المقدونية الخميرية الماراثية
ભાષાતર જુઓ
વધુ