+ -

عَنْ أَبِي عُبَيْدٍ، مَوْلَى ابْنِ أَزْهَرَ، قَالَ:
شَهِدْتُ العِيدَ مَعَ عُمَرَ بْنِ الخَطَّابِ رَضِيَ اللَّهُ عَنْهُ، فَقَالَ: هَذَانِ يَوْمَانِ نَهَى رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ عَنْ صِيَامِهِمَا: يَوْمُ فِطْرِكُمْ مِنْ صِيَامِكُمْ، وَاليَوْمُ الآخَرُ تَأْكُلُونَ فِيهِ مِنْ نُسُكِكُمْ.

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 1990]
المزيــد ...

અબૂ ઉબૈદ ઈબ્ને અઝહરના આજાદ કરેલ ગુલામો માંથી હતા, તેઓ રિવાયત કરે છે:
મેં ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ સાથે ઈદની નમાઝ પઢી, તેમણે કહ્યું: આ બન્ને દિવસે અલ્લાહના રસૂલ ﷺએ રોઝા રાખવાથી રોક્યા છે, એક (રમઝાનના) રોઝા રાખ્યા બાદ (ઇદુલ્ ફિતરનો) દિવસ, બીજો દિવસ જેમાં તમે પોતાની કુરબાની કરેલ જાનવરનું શાક ખાઓ છો, (બકરી ઈદ).

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 1990]

સમજુતી

નબી ﷺએ ઇદુલ્ ફિતર અને ઇદુઝ ઝોહા બન્ને દિવસે રોઝા રાખવાથી રોક્યા છે, ઇદુલ્ ફિતર રમઝાનના રોઝા રાખ્યા પછીનો દિવસ, અને ઈદુલ્ અઝહા, જે દિવસે તમે પોતાના જાનવરની કુરબાનીનું શાક ખાઓ છો.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી સ્વાહીલી આસામી
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. ઈદુલ્ ફિતર, ઈદુલ્ અઝહા અને અય્યામે તશરીક; કારણકે તે પણ દિવસો ઈદમાં જ આવે છે, તે દિવસીમાં રોઝા રાખવા હરામ છે, જો કોઈ હાજી પર હદ્યના કારણે રોઝો રાખવો જરૂરી હોય તો તે અય્યામે તશરિકમાં રોઝો રાખી શકે છે.
  2. ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: કહેવામાં આવ્યું: બન્ને દિવસે વર્ણન કરવામાં ફાયદો એ છે કે જાહેર કરી દેવામાં આવે કે હવે રોઝો નથી, અને રોઝાથી અલગ કરવામાં આવે અને પછી રાખવામાં આવતા રોઝા તોડી રમઝાનના રોઝાની સપૂર્ણતા જાહેર કરવામાં આવે, અને બીજું એ કે નિકટતા પ્રાપ્ત કરતા કરવામાં આવતી કુરબાનીના શાક માંથી ખાવામાં આવે.
  3. ખતીબ માટે મુસ્તહબ છે કે તે પોતાના ખુતબામાં સમય પ્રમાણે મસઅલા વર્ણન કરે અને લોકોને સચેત કરે.
  4. કુરબાનીનું શાક ખાવાની મશરુઇયત (પરવાનગી).
વધુ