عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«أَسْرِعُوا بِالْجِنَازَةِ، فَإِنْ تَكُ صَالِحَةً فَخَيْرٌ تُقَدِّمُونَهَا، وَإِنْ يَكُ سِوَى ذَلِكَ، فَشَرٌّ تَضَعُونَهُ عَنْ رِقَابِكُمْ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 1315]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«મૃતકની દફનવિધિમાં ઉતાવળ કરો, કારણકે જો તે સદાચારી હશે, તો તમે તેને ભલાઈ તરફ લઈ જશો, અન્યથા જો તે દુષ્ટ હશે તો તમે પોતાના ગળા પરથી ભાર ઊતારશો».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 1315]
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મૃતકની દફનવિધિ અને જનાઝહની નમાઝ પઢવા બાબતે ઉતાવળ કરવાનો આદેશ આપ્યો છે, જો મૃતક સદાચારી હશે તો, તમને તેને કબરની નેઅમતો (આનંદ)માં મોકલશો, અને જો તે દુષ્ટ હશે તો પોતાના ખભા પરથી ભાર ઉતારશો.