+ -

عَن أَبي هُرَيْرَةَ رضي الله عنه قَالَ: سَمِعْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«تَفْضُلُ صَلاَةُ الجَمِيعِ صَلاَةَ أَحَدِكُمْ وَحْدَهُ، بِخَمْسٍ وَعِشْرِينَ جُزْءًا، وَتَجْتَمِعُ مَلاَئِكَةُ اللَّيْلِ وَمَلاَئِكَةُ النَّهَارِ فِي صَلاَةِ الفَجْرِ» ثُمَّ يَقُولُ أَبُو هُرَيْرَةَ: فَاقْرَءُوا إِنْ شِئْتُمْ: {إِنَّ قُرْآنَ الفَجْرِ كَانَ مَشْهُودًا} [الإسراء: 78].

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 648]
المزيــد ...

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા:
«તમારી જમાઅત (જૂથ) સાથે પઢેલી નમાઝ એકલા વ્યક્તિની નમાઝ કરતાં પચ્ચીસ ઘણો વધારે સવાબ ધરાવે છે, અને રાતના ફરિશ્તા અને દિવસના ફરિશ્તાઓ ફજરની નમાઝ માટે ભેગા થાય છે» ફરી અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ એ કહ્યું: તમે ઈચ્છા કરો તો પઢો: {ખરેખર ફજરના સમયે કુરઆન પઢવાની (ફરિશ્તાઓ) સાક્ષી આપે છે.} [અલ્ ઇસ્રા: ૭૮].

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 648]

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે ઈમામ અને જમાઅત (જૂથ) સાથે પઢેલી વ્યક્તિની નમાઝ ઘરમાં અને બજારમાં પઢવામાં આવતી એકલા વ્યક્તિની નમાઝ કરતાં પચ્ચીસ ઘણી સવાબમાં વધારે છે, ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે દિવસ અને રાતના ફરિશ્તાઓ ફજરની નમાઝમાં ભેગા થાય છે, ફરી અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુએ કુરઆનની આયત દ્વારા દલીલ પકડીને કહ્યું:
તમે ઈચ્છો તો પઢો: {ખરેખર ફજરના સમયે કુરઆન પઢવાની (ફરિશ્તાઓ) સાક્ષી આપે છે} [અલ્ ઇસ્રા: ૭૮], અર્થાત્: ખરેખર ફજરની નમાઝમાં દિવસ અને રાતના ફરિશ્તાઓ ભેગા થાય છે.

હદીષથી મળતા ફાયદા

  1. ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: ખરેખર મસ્જિદમાં જમાઅત સાથે પઢવામાં આવતી નમાઝ ઘર અને બજારમાં એકલા પઢેલી નમાઝ કરતાં વધુ શ્રેષ્ઠ છે, ઈમામ ઈબ્ને દકીક અલ્ ઇદે પણ આ પ્રમાણે જ કહ્યું છે.
  2. આ હદીષમાં ફજરની નમાઝની મહત્ત્વતા વર્ણન કરવામાં આવી છે; કારણકે તે નમાઝમાં ખાસ રૂપે ફરિશ્તાઓ ભેગા થાય છે.
  3. ઈમામ ઈબ્ને બાઝ રહિમહુલ્લાહએ કહ્યું: મોમિને વર્ણવેલ ભલાઈને પ્રાપ્ત કરવા માટે જમાઅત સાથે નમાઝ પઢવા પર ધ્યાન આપવું જોઈએ, ભલે તેનું ઘર દૂર હોય.
  4. ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: તે દરેક હદીષો જેમાં જમાઅત સાથે નમાઝની પચ્ચીસ અને સત્યાવીસ ઘણી મહત્ત્વતા વર્ણન કરવામાં આવી છે: તે હદીષોને ત્રણ કારણો દ્વારા ભેગી કરી શકાય છે: ૧- તેમાં કોઈ વિરોધ નથી, કારણકે ઓછી સંખ્યાનું વર્ણન વધારે સંખ્યાને નકારતું નથી, ઇસ્લામી ઉસૂલ (ઇસ્લામી ન્યાયશાસત્રો)ઓ પાસે ચોક્કસ સંખ્યાનું કોઈ મહત્વ નથી, ૨- બની શકે છે કે પહેલા ઓછી સંખ્યાનું વર્ણન થયું હોય, ફરી અલ્લાહ તઆલાએ સવાબમાં વધારાની જાણકારી આપી હોય, ૩- નમાઝ અને નમાઝ પઢનારની સ્થિતિ પ્રમાણે પણ સવાબ અલગ હોય શકે છે, કેટલાક માટે સવાબ પચ્ચીસ અને બીજા માટે સત્યાવીસ પણ હોય શકે છે, તેમની નમાઝની સંપૂર્ણતાના કારણે, તેના યોગ્ય તરીકા, તેની પાબંદી, વિનમ્રતા અને ધ્યાન અને જમાઅત સાથે પઢવાના કારણે, તેની મહત્ત્વતા, સ્થાન અને સન્માન વગેરેના કારણે, અલ્લાહ વધુ જાણે છે.
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી સ્વાહીલી આસામી الهولندية الرومانية المجرية الجورجية
ભાષાતર જુઓ
વધુ