عَن أَبي هُرَيْرَةَ رضي الله عنه قَالَ: سَمِعْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«تَفْضُلُ صَلاَةُ الجَمِيعِ صَلاَةَ أَحَدِكُمْ وَحْدَهُ، بِخَمْسٍ وَعِشْرِينَ جُزْءًا، وَتَجْتَمِعُ مَلاَئِكَةُ اللَّيْلِ وَمَلاَئِكَةُ النَّهَارِ فِي صَلاَةِ الفَجْرِ» ثُمَّ يَقُولُ أَبُو هُرَيْرَةَ: فَاقْرَءُوا إِنْ شِئْتُمْ: {إِنَّ قُرْآنَ الفَجْرِ كَانَ مَشْهُودًا} [الإسراء: 78].
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 648]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા:
«તમારી જમાઅત (જૂથ) સાથે પઢેલી નમાઝ એકલા વ્યક્તિની નમાઝ કરતાં પચ્ચીસ ઘણો વધારે સવાબ ધરાવે છે, અને રાતના ફરિશ્તા અને દિવસના ફરિશ્તાઓ ફજરની નમાઝ માટે ભેગા થાય છે» ફરી અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ એ કહ્યું: તમે ઈચ્છા કરો તો પઢો: {ખરેખર ફજરના સમયે કુરઆન પઢવાની (ફરિશ્તાઓ) સાક્ષી આપે છે.} [અલ્ ઇસ્રા: ૭૮].
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 648]
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે ઈમામ અને જમાઅત (જૂથ) સાથે પઢેલી વ્યક્તિની નમાઝ ઘરમાં અને બજારમાં પઢવામાં આવતી એકલા વ્યક્તિની નમાઝ કરતાં પચ્ચીસ ઘણી સવાબમાં વધારે છે, ફરી
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે દિવસ અને રાતના ફરિશ્તાઓ ફજરની નમાઝમાં ભેગા થાય છે, ફરી અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુએ કુરઆનની આયત દ્વારા દલીલ પકડીને કહ્યું:
તમે ઈચ્છો તો પઢો: {ખરેખર ફજરના સમયે કુરઆન પઢવાની (ફરિશ્તાઓ) સાક્ષી આપે છે} [અલ્ ઇસ્રા: ૭૮], અર્થાત્: ખરેખર ફજરની નમાઝમાં દિવસ અને રાતના ફરિશ્તાઓ ભેગા થાય છે.