عَنْ ابْنِ عُمَرَ رَضيَ اللهُ عنهُما أَنَّهُ سَمِعَ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«مَا حَقُّ امْرِئٍ مُسْلِمٍ لَهُ شَيْءٌ يُوصِي فِيهِ، يَبِيتُ ثَلَاثَ لَيَالٍ، إِلَّا وَوَصِيَّتُهُ عِنْدَهُ مَكْتُوبَةٌ»، قَالَ عَبْدُ اللهِ بْنُ عُمَرَ رضي الله عنهما: «مَا مَرَّتْ عَلَيَّ لَيْلَةٌ مُنْذُ سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ ذَلِكَ إِلَّا وَعِنْدِي وَصِيَّتِي».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 1627]
المزيــد ...
અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે તેમણે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«કોઈ પણ મુસલમાન માટે યોગ્ય નથી કે તેની પાસે કોઈ વસ્તુ હોય, જેના વિષે તે વસીયત લખવા ઈચ્છતો હોય, અને તે વસીયત લખ્યા વિના બે રાતો પણ પસાર કરે», અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુમાએ કહ્યું: «જ્યારથી મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા આ વાત સાંભળી છે, ત્યારથી મારી એક પણ રાત વસીયતનામુ લખ્યા વિના પસાર નથી થઈ».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 1627]
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જે કોઈ પણ મુસલમાન પાસે વસીયત કરવા માટે કોઈ મિલકત અથવા અધિકાર હોય, ભલે તે નાની હોય કે મોટી, તો તે ત્રણ રાતો કરતાં વધુ તે વસીયત લખ્યા વિના પસાર ન કરે. અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુમાએ કહ્યું: જ્યારથી મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા આ વાત સાંભળી છે ત્યારથી મારી એક પણ રાત વસીયતનામુ લખ્યા વિના પસાર નથી થઈ.