عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«قَالَ اللَّهُ عَزَّ وَجَلَّ: يُؤْذِينِي ابْنُ آدَمَ يَسُبُّ الدَّهْرَ وَأَنَا الدَّهْرُ، بِيَدِي الأَمْرُ أُقَلِّبُ اللَّيْلَ وَالنَّهَارَ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 4826]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«સર્વશ્રેષ્ઠ અલ્લાહ તઆલાએ કહ્યું: આદમની સંતાન મને તકલીફ આપે છે, તે જમાનાને ગાળો આપે છે, જ્યારે કે હું જ જમાનો છું, મારા જ હાથમાં બધું છે, હું જ રાત અને દિવસને ફેરવું કરું છું».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 4826]
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે અલ્લાહ તઆલા હદીષે કૂદસીમાં કહે છે: તે વ્યક્તિ મારું અપમાન કરે છે અને હું તેનાથી દુઃખી થાઉં છું, જે આપત્તિના સમયે અથવા મુસીબત વખતે, જમાનાને ગાળો આપે છે; કારણકે અલ્લાહ એકલો જ વયવસ્થાપક છે, અને તે જેમ ઈચ્છે વ્યવસ્થા કરે છે, ફેરફાર કરે છે, એટલા માટે જમાનાને ગાળો આપવી તેની વ્યવસ્થા કરનારને ગાળો આપવી ગણાશે, અને જમાનો પણ એક આધીન સર્જન છે, જેમાં અલ્લાહના આદેશ પ્રમાણે કિસ્સાઓ થતા હોય છે.