عَنْ أَنَسِ بْنِ مَالِكٍ رَضيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«مَنْ صَلَّى صَلاَتَنَا وَاسْتَقْبَلَ قِبْلَتَنَا وَأَكَلَ ذَبِيحَتَنَا فَذَلِكَ المُسْلِمُ الَّذِي لَهُ ذِمَّةُ اللَّهِ وَذِمَّةُ رَسُولِهِ، فَلاَ تُخْفِرُوا اللَّهَ فِي ذِمَّتِهِ».
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 391]
المزيــد ...
અનસ બિન્ માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«જે વ્યક્તિ આપણી જેમ નમાઝ પઢે છે, આપણાં કિબલા તરફ મોઢું કરે છે, આપણું ઝબેહ કરેલું જાનવર ખાઈ છે, તે મુસલમાન છે, તે અલ્લાહની શરણમાં છે, તેના પયગંબરની શરણમાં છે, તેથી અલ્લાહની સુરક્ષાનો ભંગ કરી દગો ન કરો».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહુલ્ બુખારી - 391]
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જે વ્યક્તિ દીનની જાહેર ઈબાદતોનું પાલન કરે, જેમકે નમાઝ પઢે, કાબા તરફ મોઢું કરી નમાઝ પઢે, અને આપણાં ઝબેહ કરેલ જાનવરને ખાવુ યોગ્ય સમજે, તો તે મુસલમાન છે, જેની પાસે અલ્લાહ અને તેના પયગંબરની અમાનત અને વચન છે, તેથી અલ્લાહના વચનમાં ભંગ ન કરો.