عَنْ إِبرَاهِيمَ النَّخَعِيِّ عَنْ هَمَّامِ بنِ الحَارِثِ قَالَ:
بَالَ جَرِيرٌ، ثُمَّ تَوَضَّأَ، وَمَسَحَ عَلَى خُفَّيْهِ، فَقِيلَ: تَفْعَلُ هَذَا؟ فَقَالَ: نَعَمْ، رَأَيْتُ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ بَالَ، ثُمَّ تَوَضَّأَ وَمَسَحَ عَلَى خُفَّيْهِ. قَالَ الأَعْمَشُ: قَالَ إِبْرَاهِيمُ: كَانَ يُعْجِبُهُمْ هَذَا الحَدِيثُ؛ لِأَنَّ إِسْلَامَ جَرِيرٍ، كَانَ بَعْدَ نُزُولِ المَائِدَةِ.
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 272]
المزيــد ...
ઈબ્રાહીમ નખઈ વર્ણન કરે છે કે હમ્મામ બિન્ હારિષએ કહ્યું:
જરીરે એક વખત પેશાબ કરી, ફરી વઝૂ કર્યું, અને ચામડાના મોજા પર મસહ કર્યો, એક વ્યક્તિએ તેમને કહ્યું: શું તમે ખરેખર આમ કર્યું, તો તેમણે કહ્યું: હા, મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને જોયા કે તેમણે પેશાબ કરી, ફરી વઝૂ કર્યું અને પોતાના મોજા પર મસહ કર્યો. અઅમશે કહ્યું: ઈબ્રાહીમ નખઈએ કહ્યું: તેમને આ હદીષ યોગ્ય લાગી; કારણકે જરીર સૂરે માઈદહના ઉતર્યા પછી ઇસ્લામ લાવ્યા હતા.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 272]
જરીર બિન્ અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુએ પેશાબ કરી, ફરી વઝૂ કર્યું, અને ફક્ત પોતાના મોજા પર મસહ કર્યો અને પોતાના પગ ન ધોયા, તો તેમના આસપાસના લોકોમાંથી એક વ્યક્તિએ કહ્યું: તમે આમ કર્યું?! તો તેમણે કહ્યું: હા, મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને જોયા કે તેમણે પેશાબ કરી, ફરી વઝૂ કર્યું અને પોતાના મોજા પર માસો કર્યો. જરીર રઝી અલ્લાહુ અન્હુ સૂરે માઈદહના ઉતર્યા પછી વિલંભ કરી ઇસ્લામ લાવ્યા, જેમાં વઝૂની આયત છે, જેના દ્વારા જાણવા મળે છે કે આ આયતમાં મોજા પર મસહ કરવો રદ કરવામાં આવ્યો નથી.