عَنْ أَبِي هُرَيْرَةَ رَضيَ اللهُ عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«الدُّنْيَا سِجْنُ الْمُؤْمِنِ وَجَنَّةُ الْكَافِرِ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2956]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«મોમિન માટે આ દુનિયા જેલ અને કાફિર માટે જન્નત છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 2956]
આ હદીષમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે દુનિયાનું જીવન મોમિન માટે જેલ જેવું છે, જેમાં શરીઅતે અનિવાર્ય કરેલ આદેશો પર અમલ અને અવૈધ કરેલ કાર્યો છોડવા પર તકલીફ, જ્યારે તે મૃત્યુ પામશે તો શાંતિ અને અમન ભર્યું જીવન તેને મળશે, તેમજ અલ્લાહએ તૈયાર કરેલ નેઅમતોની પ્રાપ્તિ થશે, અને દુનિયા કાફિર માટે જન્નત છે; કારણ કે પોતાની મનેચ્છા પ્રમાણે જેમ ઈચ્છે તે કરે છે, અને આ દરેક વસ્તુ કયામતના દિવસે અલ્લાહએ તૈયાર કરેલ અઝાબ દ્વારા બદલાય જશે, જેમાં તેઓ હમેંશા રહેશે.