+ -

عن عبد الله بن عُمر وأبي هريرة رضي الله عنهما أنهما سمعا رسول الله صلى الله عليه وسلم، يقول على أعواد منبره:
«لَيَنْتَهِيَنَّ أَقْوَامٌ عَنْ وَدْعِهِمُ الْجُمُعَاتِ أَوْ لَيَخْتِمَنَّ اللهُ عَلَى قُلُوبِهِمْ، ثُمَّ لَيَكُونُنَّ مِنَ الْغَافِلِينَ».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 865]
المزيــد ...

અબ્દુલ્લાહ બિન ઉમર અને અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે તે બન્ને સહાબીએ અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને મિમ્બર પર ઊભા રહી કહેતા સાંભળ્યા:
«ખબરદાર! લોકો જુમ્માની નમાઝ ન પઢવા પર સચેત થઈ જાઓ, અન્યથા અલ્લાહ તઆલા તેમના હૃદય પર મહોર લગાવી દેશે, તો તેઓ ગાફેલ લોકો માંથી બની જશે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 865]

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મિમ્બર પર ઊભા રહી કોઈ પણ યોગ્ય કારણ વગર જુમ્માની નમાઝ છોડવા અને તેનાથી પાછળ રહેવાથી સચેત કર્યા છે, કે તેને આળસથી છોડી દેવામાં આવે, અથવા અલ્લાહ તેમના દિલ પર મહોર લગાવી દે છે, અથવા પડદો નાખી દેશે, જેથી તેઓ સત્યનું અનુસરણ કરવામાં અસક્ષમ અને ભલાઈના સ્ત્રોતોથી વંચિત થઈ જાય, અને તેમની આત્માઓ સત્યનું અનુસરણ કરવાથી વંચિત રહી છે.

હદીષથી મળતા ફાયદા

  1. જુમ્માની નમાઝમાં ભાગ ન લેવા પર સખત ચેતવણી અને તે કબીરહ ગુનાહ (મહાપાપ) માંથી છે.
  2. ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષ દ્વારા જાણવા મળ્યું કે જુમ્માની નમાઝ ફરજે ઐન (દરેક વ્યક્તિએ પઢવી જરૂરી છે) છે.
  3. ખુતબો આપવા માટે મિમ્બર લેવાની યોગ્યતા.
  4. ઈમામ સિન્દી રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષનો અર્થ એ છે બે માંથી એક પરિણામ જરૂર જોવા મળશે, કા તો તે જુમ્માની નમાઝ છોડશે, અથવા અલ્લાહ તેના દિલ પર મહોર લગાવી દેશે, અને જુમ્માની નમાઝને આદતપૂર્વક છોડવાથી દિલમાં કાટ ભરાઈ જાય છે, અને આત્મા આજ્ઞાપાલનથી અલગ થઈ જાય છે.
  5. ઉપદેશક અને સલાહકારે તેઓના નામ ન લેવા જોઈએ, જેમને તે ઉપદેશ આપવા ઈચ્છતો હોય; કારણ કે આ તરીકો સલાહને સ્વીકારવા અને આદેશોનું પાલન કરવા માટે વધુ અનુકૂળ છે.
ભાષાતર: અંગ્રેજી ઇન્ડોનિષયન સિન્હાલા વિયેતનામીસ હૌસા સ્વાહીલી આસામી الهولندية الرومانية المجرية الجورجية
ભાષાતર જુઓ