عن عبد الله بن عُمر وأبي هريرة رضي الله عنهما أنهما سمعا رسول الله صلى الله عليه وسلم، يقول على أعواد منبره:
«لَيَنْتَهِيَنَّ أَقْوَامٌ عَنْ وَدْعِهِمُ الْجُمُعَاتِ أَوْ لَيَخْتِمَنَّ اللهُ عَلَى قُلُوبِهِمْ، ثُمَّ لَيَكُونُنَّ مِنَ الْغَافِلِينَ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 865]
المزيــد ...
અબ્દુલ્લાહ બિન ઉમર અને અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે તે બન્ને સહાબીએ અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને મિમ્બર પર ઊભા રહી કહેતા સાંભળ્યા:
«ખબરદાર! લોકો જુમ્માની નમાઝ ન પઢવા પર સચેત થઈ જાઓ, અન્યથા અલ્લાહ તઆલા તેમના હૃદય પર મહોર લગાવી દેશે, તો તેઓ ગાફેલ લોકો માંથી બની જશે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 865]
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મિમ્બર પર ઊભા રહી કોઈ પણ યોગ્ય કારણ વગર જુમ્માની નમાઝ છોડવા અને તેનાથી પાછળ રહેવાથી સચેત કર્યા છે, કે તેને આળસથી છોડી દેવામાં આવે, અથવા અલ્લાહ તેમના દિલ પર મહોર લગાવી દે છે, અથવા પડદો નાખી દેશે, જેથી તેઓ સત્યનું અનુસરણ કરવામાં અસક્ષમ અને ભલાઈના સ્ત્રોતોથી વંચિત થઈ જાય, અને તેમની આત્માઓ સત્યનું અનુસરણ કરવાથી વંચિત રહી છે.