+ -

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ عَنِ النَّبِيِّ صلَّى اللَّهُ عليْه وسلَّمَ، قَالَ:
«إِذَا أُقِيمَتِ الصَّلَاةُ فَلَا صَلَاةَ إلَّا المَكْتُوبَةُ».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 710]
المزيــد ...

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«જયારે નમાઝ ઉભી થઇ જાય તો ત્યારે નમાઝ સિવાય બીજી કોઈ નમાઝ નથી».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 710]

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જયારે ફરજ નમાઝ ઉભી થઇ જાય તો કોઈ પણ પ્રકારની નફિલ નમાઝ પઢવાથી રોક્યા છે.

હદીષથી મળતા ફાયદા

  1. જયારે ફરજ નમાઝ માટે ઇકામત કહેવામાં આવી ચુકી હોય, તો કોઈ પણ પ્રકારની નફિલ નમાઝ પઢવી જાઈઝ નથી, ભલેને તે મસ્જિદમાં હોય.
  2. ફરજ નમાઝ ઉભી થઇ ગયા પછી કોઈ પણ પ્રકારની નફિલ નમાઝ શરૂ કરવી યોગ્ય નથી, ભલે ને તે ફજર, ઝોહર વગેરેની સુન્નતો કેમ ન હોય.
  3. જયારે ફરજ નમાઝ ઉભી થાય અને તે નફિલ નમાઝ પઢી રહ્યો હોય, તો જો એક રકઅત કરતા ઓછી બાકી તો તેને ટૂંકી કરી પૂરી કરી લે, અથવા તેને તોડી દે, જેથી તકબીરે તહરીમાની મહત્ત્વતા પ્રાપ્ત કરી લે.
ભાષાતર: અંગ્રેજી ઇન્ડોનિષયન બંગાલી વિયેતનામીસ કુરદી હૌસા પુરતગાલી સ્વાહીલી થાય આસામી الهولندية الدرية المجرية الجورجية المقدونية الخميرية
ભાષાતર જુઓ
વધુ