عَنْ مُعَاذٍ رَضِيَ اللَّهُ عَنْهُ:
أَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ لَمَّا وَجَّهَهُ إِلَى الْيَمَنِ أَمَرَهُ أَنْ يَأْخُذَ مِنَ الْبَقَرِ مِنْ كُلِّ ثَلَاثِينَ تَبِيعًا أَوْ تَبِيعَةً، وَمِنْ كُلِّ أَرْبَعِينَ مُسِنَّةً، وَمِنْ كُلِّ حَالِمٍ -يَعْنِي مُحْتَلِمًا- دِينَارًا أَوْ عَدْلَهُ مِنَ المَعَافِرِ، ثِيَابٌ تَكُونُ بِالْيَمَنِ.
[صحيح بشواهده] - [رواه أبو داود والترمذي والنسائي وابن ماجه وأحمد] - [سنن أبي داود: 1576]
المزيــد ...
મુઆઝ રઝી. રિવાયત કરે છે :
આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે મને યમન મોકલ્યો અને કહ્યુ કે ત્રીસ ગાય પર એક વર્ષનું વાછરડું અથવા એક વર્ષની ગાય, તેમજ દરેક ચાળીસ ગાય પર બે વર્ષની ગાય, તેમજ દરેક બાલિગ અર્થાત પુખ્તવ્ય પર એક દીનાર અથવા તેના જેટલો એક મુઆફિર, યમનનું એક પ્રકારનું કપડું.
[સહીહ બિશવાહિદીહી] - - [સુનન્ અબી દાઉદ - 1576]
આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે મુઆઝ બિન જબલ રઝી.એ યમન રવાના કરતી વખતે કેટલીક અગત્યની શિક્ષાઓ શીખવાડી, તેમાંથી એક મુસલમાન પાસેથી ગાયની ઝકાત બાબતે તાલિમ આ પ્રમાણે શીખવાડી, જે વ્યક્તિ પાસે ત્રીસ ગાય હશે તેણે ઝકાત રૂપે એક વર્ષનું વાછરડું અથવા એક વર્ષની ગાય આપવી પડશે, અને જેની પાસે ચાળીસ ગાયો હશે તો તેણે બે વર્ષની ગાય આપવી પડશે, તેમજ યહૂદી અને નસારાના દરેક બાલિગ લોકો પાસેથી એક દીનાર જિઝયો લેવામાં આવશે, અથવા તેના બરાબર યમનનું એક ખાસ કપડું જેનું નામ મૂઆફરિ છે.