عَنْ مُعَاذٍ رَضِيَ اللَّهُ عَنْهُ:
أَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ لَمَّا وَجَّهَهُ إِلَى الْيَمَنِ أَمَرَهُ أَنْ يَأْخُذَ مِنَ الْبَقَرِ مِنْ كُلِّ ثَلَاثِينَ تَبِيعًا أَوْ تَبِيعَةً، وَمِنْ كُلِّ أَرْبَعِينَ مُسِنَّةً، وَمِنْ كُلِّ حَالِمٍ -يَعْنِي مُحْتَلِمًا- دِينَارًا أَوْ عَدْلَهُ مِنَ المَعَافِرِ، ثِيَابٌ تَكُونُ بِالْيَمَنِ.
[صحيح بشواهده] - [رواه أبو داود والترمذي والنسائي وابن ماجه وأحمد] - [سنن أبي داود: 1576]
المزيــد ...
મુઆઝ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે:
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મને યમન મોકલ્યો તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આદેશ આપ્યો કે પશુઓમાં દરેક ત્રીસ ગાયમાં એક વર્ષનું વાછરડું અથવા એક વર્ષની ગાય, તેમજ દરેક ચાળીસ ગાય પર બે વર્ષની ગાય, તેમજ દરેક બાલિગ -અર્થાત્ પુખ્તવ્ય- પર એક દીનાર અથવા એક મુઆફિર જેટલો જે યમનના એક પ્રકારનું કપડું છે.
[સહીહ બિશવાહિદીહી] - [رواه أبو داود والترمذي والنسائي وابن ماجه وأحمد] - [સુનન્ અબી દાઉદ - 1576]
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મુઆઝ બિન્ જબલ રઝી અલ્લાહુ અન્હુને યમન રવાના કરતી વખતે કેટલીક અગત્યની શિક્ષાઓ શીખવાડી, તેમાંથી એક મુસલમાન પાસેથી ગાયની ઝકાત બાબતે શિક્ષા આ પ્રમાણે આપી, જે વ્યક્તિ પાસે ત્રીસ ગાય હોય, તેણે ઝકાત રૂપે એક વર્ષનું વાછરડું અથવા એક વર્ષની ગાય આપવી પડશે, અને જેની પાસે ચાળીસ ગાયો હોય, તેણે બે વર્ષની ગાય આપવી પડશે. તેમજ યહૂદી અને નસારાના દરેક પુખ્તવય લોકો પાસેથી એક દીનાર જિઝયો (કર) લેવામાં આવશે, અથવા તેના બરાબર યમનનું એક ખાસ કપડું જેનું નામ મૂઆફરી છે, તે લેવામાં આવશે.