عَنْ أَبِي هُرَيْرَةَ رَضيَ اللهُ عنه أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ:
«أَحَبُّ الْبِلَادِ إِلَى اللهِ مَسَاجِدُهَا، وَأَبْغَضُ الْبِلَادِ إِلَى اللهِ أَسْوَاقُهَا».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 671]
المزيــد ...

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«અલ્લાહની નજીક શહેરમાં સૌથી શ્રેષ્ઠ જગ્યા મસ્જિદ છે અને તેની નજીક સૌથી નાપસંદ જગ્યા બજાર છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 671]

સમજુતી

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ વર્ણન કરી રહ્યા છે કે અલ્લાહ પાસે દરેક જગ્યામાં સૌથી શ્રેષ્ઠ જગ્યા મસ્જિદ છે; કારણકે તે અનુસરણનું ઘર છે, તકવાનો પાયો છે, તેમજ તેની નજીક સૌથી નાપસંદ જગ્યા બજાર છે: કારણકે ત્યાં સૌથી વધારે ધોખો, વ્યાજ, જૂઠી કસમો, વચનભંગ તેમજ અલ્લાહના ઝિક્રથી દૂરી માટેનો સ્ત્રોત છે.

હદીષથી મળતા ફાયદા

  1. મસ્જિદો અને તેની જગ્યાની પવિત્રતા; કારણકે તે જગ્યાએ વધુમાં વધુ અલ્લાહનું નામ લેવામાં આવે છે.
  2. આ હદીષમાં મસ્જિદોને પકડી રાખવા પર જોર આપ્યું છે, તેની તરફ વધુમાં વધુ જવું, અલ્લાહની મોહબ્બત અને તેની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે, અને બજારોમાં ઓછું ધ્યાન દોરવું જોઈએ, ફક્ત જરૂરત પ્રમાણે જ જવું જોઈએ, કારણકે તે અવજ્ઞાના સ્ત્રોત માંથી એક સ્ત્રોત છે.
  3. ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: મસ્જિદ બરકત ઉતરવાની જગ્યા છે અને બજાર તેની વિરુદ્ધ.
ભાષાતર જુઓ
ભાષા: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ વધુ (34)
વધુ