عَنْ أُمِّ عَطِيَّةَ رَضيَ اللهُ عنها قَالَتْ:
تُوُفِّيَتْ إِحْدَى بَنَاتِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، فَخَرَجَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فَقَالَ: «اغْسِلْنَهَا ثَلاَثًا، أَوْ خَمْسًا أَوْ أَكْثَرَ مِنْ ذَلِكَ، إِنْ رَأَيْتُنَّ بِمَاءٍ وَسِدْرٍ، وَاجْعَلْنَ فِي الآخِرَةِ كَافُورًا -أَوْ شَيْئًا مِنْ كَافُورٍ-، فَإِذَا فَرَغْتُنَّ فَآذِنَّنِي»، قَالَتْ: فَلَمَّا فَرَغْنَا آذَنَّاهُ، فَأَلْقَى إِلَيْنَا حِقْوَهُ، فَقَالَ: «أَشْعِرْنَهَا إِيَّاهُ»، وَقَالَتْ: وَجَعَلْنَا رَأْسَهَا ثَلاَثَةَ قُرُونٍ.  
                        
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 1258]
                        
 المزيــد ... 
                    
ઉમ્મે અતિય્યહ રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેઓએ કહ્યું:
જ્યારે આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની એક દીકરીની મૃત્યુ થયું, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આવ્યા અને કહ્યું:  «ત્રણ અથવા પાંચ વખત અથવા તેના કરતાં પણ વધારે બોરડીના પાંદડા પાણી સાથે ભેગા કરી તેનાથી ગુસલ આપો, અને છેલ્લી વખત કપૂરથી અથવા તેના જેવી કંઈક વસ્તુથી, અને જ્યારે ગુસલ આપી તો મને જાણ કરો», જ્યારે ગુસલ આપી દેવામાં આવ્યું, તો આપને જાણ કરવામાં આવી, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાની ઇઝાર આપી અને કહ્યું: «તેને પહેરાવી દો», અને ઉમ્મે અતિય્યહ રઝી અલ્લાહુ અન્હાએ કહ્યું: અમે તેના વાળની ત્રણ ચોટલીઓ બાંધી દીધી. 
                                                     
                                                                                                    
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 1258]                                            
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની દીકરી ઝૈનબ રઝી અલ્લાહુ અન્હાનું મૃત્યુ થયું, તો તેમને ગુસલ આપવા માટે સ્ત્રીઓ દાખલ થઈ તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તમે એકી સંખ્યામાં અર્થાત્ ત્રણ, પાંચ અથવા તેના કરતાં વધુ વખત બોરડીના પાંદડા વડે ગુસલ આપો, તેણીની જરૂરત પ્રમાણે, અને છેલ્લી વખત કપૂરથી ગુસલ આપો, અને જ્યારે ગુસલ આપી દો, તો મને જાણ કરો. જયારે ગુસલ આપી દીધું, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક કપડું આપ્યું અને કહ્યું: આ કપડું તેના શરીર પર ઢાંકી દો, અને તેના વાળની ત્રણ ચોટલીઓ બાંધી દો.