عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ:
«مَنْ قَالَ: لاَ إِلَهَ إِلَّا اللَّهُ، وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، لَهُ المُلْكُ وَلَهُ الحَمْدُ، وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ، فِي يَوْمٍ مِائَةَ مَرَّةٍ، كَانَتْ لَهُ عَدْلَ عَشْرِ رِقَابٍ، وَكُتِبَتْ لَهُ مِائَةُ حَسَنَةٍ، وَمُحِيَتْ عَنْهُ مِائَةُ سَيِّئَةٍ، وَكَانَتْ لَهُ حِرْزًا مِنَ الشَّيْطَانِ يَوْمَهُ ذَلِكَ حَتَّى يُمْسِيَ، وَلَمْ يَأْتِ أَحَدٌ بِأَفْضَلَ مِمَّا جَاءَ بِهِ إِلَّا أَحَدٌ عَمِلَ أَكْثَرَ مِنْ ذَلِكَ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 3293]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«જે વ્યક્તિ એક દિવસમાં સો વખત આ દુઆ પઢે: "લા ઇલાહ ઇલ્લલ્લાહુ વહદહુ લા શરીક લહુ, લહુલ્ મુલ્કુ વ લહુલ્ હમ્દુ વહુવ અલા કુલ્લિ શયઇન્ કદીર" (અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી, તે એક જ છે, અને તેનો કોઈ ભાગીદાર નથી, તેના માટે જ સામ્રાજ્ય છે અને તેના માટે જ પ્રસંશા છે, તે જ જિવન અને મૃત્યુ આપે છે, અને તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે), તો તેને દસ ગુલામ આઝાદ કરવા જેટલો સવાબ મળશે, અને તેના માટે સો નેકીઓ લખવામાં આવશે, તેના સો ગુનાહ માફ કરવામાં આવશે, અને આ દુઆ સંપૂર્ણ દિવસ તેની શૈતાનથી સુરક્ષા કરશે, અહીં સુધી કે સાંજ પડી જાય, કોઇ પણ વ્યક્તિ તેના કરતાં શ્રેષ્ઠ કાર્ય લઈને નહીં આવે પરંતુ જે આ (દુઆને) વધુ પઢે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 3293]
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જે વ્યક્તિ આ દુઆ પઢે: (લા ઇલાહ) કોઈ સાચો ઇલાહ નથી, (ઇલ્લલ્લાહુ વહદહુ લા શરીક લહુ) ઈબાદતમાં, સર્જક હોવામાં અને પવિત્ર નામો અને ગુણોમાં,(લહુલ્ મુલ્કુ) અને દરેક પ્રકારની વ્યવસ્થા અને સંચાલનમાં, (વ લહુલ્ હમ્દુ) તે દરેક જેનું સર્જન કર્યું છે તે તેની પ્રસંશા કરે છે, (વહુવ અલા કુલ્લિ શયઇન્ કદીર) કોઈ પણ અવરોધ અને ખચકાટ વિના, જે તે ઈચ્છતો નથી તે થતું નથી. જે વ્યક્તિ આ દુઆને દિવસમાં સો વખત પઢે, તો અલ્લાહ પાસે તેનો સવાબ દસ ગુલામો આઝાદ કરવા બરાબર છે, એવી જ રીતે તેના માટે સો નેકીઓ અને સો દરજ્જા જન્નતમાં લખવામાં આવે છે, અને તેના સો ગુનાહ માફ કરી દેવામાં આવે છે, એવી જ રીતે તે દિવસે તેની શૈતાનથી સુરક્ષા કરવામાં આવે છે, અહીં સુધી કે સાંજ થઈ જાય, અને કોઈ પણ વ્યક્તિ કયામતના દિવસે તેના કરતાં શ્રેષ્ઠ વસ્તુ (નેકી) લઈને નહીં આવે, સિવાય એ કે જે વ્યક્તિએ આ દુઆ વધુ વખત પઢી હશે.