عَنْ عَائِشَةَ أُمِّ المُؤْمِنينَ رَضِيَ اللهُ عَنْها قَالَتْ:
كَانَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ إِذَا أَمَرَهُمْ أَمَرَهُمْ مِنَ الأَعْمَالِ بِمَا يُطِيقُونَ، قَالُوا: إِنَّا لَسْنَا كَهَيْئَتِكَ يَا رَسُولَ اللَّهِ، إِنَّ اللَّهَ قَدْ غَفَرَ لَكَ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِكَ وَمَا تَأَخَّرَ، فَيَغْضَبُ حَتَّى يُعْرَفَ الغَضَبُ فِي وَجْهِهِ، ثُمَّ يَقُولُ: «إِنَّ أَتْقَاكُمْ وَأَعْلَمَكُمْ بِاللَّهِ أَنَا».
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 20]
المزيــد ...
ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેમણે કહ્યું:
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે કોઈ કાર્યનો આદેશ આપતા તો એટલો જ આપતા જેટલો લોકો કરી શકતા હોય, સહાબાઓએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! અમે તો તમારા જેવા નથી, (તમે તો નિર્દોષ છો) અલ્લાહએ તમારા આગળના અને પાછળના બધા ગુનાહ માફ કરી દીધા છે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ગુસ્સે થયા, અહીં સુધી કે ગુસ્સો અમે તેમના ચહેરા પર જાહેર થતા જોયો, અને પછી કહ્યું: «નિઃશંક તમારા કરતા હું સૌથી વધુ અલ્લાહથી ડરુ છું અને સૌથી વધારે તેને જાણું છું».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહુલ્ બુખારી - 20]
ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા વર્ણન કરી રહ્યા છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જયારે કોઈ કાર્ય કરવાનો આદેશ આપતા, તો લોકોને તકલીફ આપ્યા વગર સરળ કાર્યનો આદેશ આપતા, હમેંશા તે કામ કરવાથી ઉકસાઈ જવાના ડરથી, અને તેમણે તે જ કર્યું જે સરળ કાર્ય કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ તેઓએ તેમને મુશ્કેલ કાર્યો સોંપવા કહ્યું; કારણ કે તેઓ માનતા હતા કે તેમના ઉચ્ચ દરજ્જાની પ્રાપ્તિ માટે તેમને વધુ મહેનત કરવાની જરૂર છે. તેથી સહાબાઓએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! અમારી સ્થિતિ તમારી સ્થિતિ માફક નથી, અલ્લાહએ તમારા આગળ અને પાછળના દરેક ગુનાહ માફ કરી દીધા છે, આ સાંભળતા જ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ગુસ્સે થયા અને એટલા ગુસ્સે થયા કે ગુસ્સાની નિશાનીઓ આપના ચહેરા પર દેખાય આવી, પછી કહ્યું: હું તમારા કરતા સૌથી વધુ અલ્લાહથી ડર રાખું છું અને અલ્લાહને સૌથી વધારે ઓળખું છું, તમે તે જ કરો જેનો તમને આદેશ આપવામાં આવે છે.