+ -

عَنْ عُقْبَةَ بْنِ عَامِرٍ رَضيَ اللهُ عنه عَنْ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«كَفَّارَةُ النَّذْرِ كَفَّارَةُ اليَمِينِ».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 1645]
المزيــد ...

ઉકબા બિન્ આમિર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«નઝર (પ્રતિજ્ઞા) નો કફ્ફારો તે જ છે, જે સોગંદનો છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 1645]

સમજુતી

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે સામાન્ય નઝરનો કફ્ફારો, જો તે સ્પષ્ટ ન હોય અને તેનું નામ પણ ન હોય, તો તેનો હુકમ કસમના કફ્ફારનો હશે.

હદીષથી મળતા ફાયદા

  1. નઝર : શરીઅત પ્રમાણે: એક જવાબદાર વ્યક્તિનું પોતાના માટે તે કાર્યને પસંદ કરી અનિવાર્ય કરવું, જે ફક્ત અલ્લાહ માટે હોય.
  2. સોગંદ તોડવાનો કફ્ફારો, દસ ગરીબોને ભોજન ખવડાવવું, અથવા તેમને કપડાં આપવા, અથવા ગુલામને ગુલામીમાંથી મુક્ત કરવો છે, જો કોઈ વ્યક્તિ આમ ન કરી શકે, તો તેણે ત્રણ દિવસ રોઝા રાખવા.
  3. કફ્ફારાની હિકમત એ છે કે એક મુસલમાન નઝર નો આદર કરે અને તેને ફરી વખત ન કરે અને ન તો પોતાની જબાન વડે કહે.
  4. નઝરના પ્રકાર: ૧. સામાન્ય નઝર: ઉદાહરણ તરીકે એમ કહું: (અલ્લાહ માટે મારા પર નઝર છે, જો હું સાજો થઈ જાઉં) અને તે ચૂપ રહ્યો, અને કોઈ ચોક્કસ કામનો ઉલ્લેખ ન કર્યો, તો જયારે તેને શિફા પ્રાપ્ત થાય, તો તેણે કસમનો જે કફ્ફારો છે, તે આપવો પડશે, ૨. ગુસ્સા અને ઉગ્રતામાં કરવામાં આવતી નઝર : આ પ્રકારની નઝર કોઈ શરત સાથે જોડાયેલી હોય છે, જે કોઈ વ્યક્તિને કોઈ કાર્ય કરવાથી રોકવા અથવા તે કરવા માટે દબાણ કરવાના હેતુથી પ્રતિજ્ઞા કરવામાં આવે છે, જેમ કે કહે: (જો હું તમારી સાથે વાત કરીશ, તો મારે એક મહિના સુધી રોઝા રાખવા પડશે) આ બાબતમાં વ્યક્તિ પાસે છૂટ આપવામાં આવી છે કાતો તે તેની સાથે વાત કરીને પોતાની નઝર પૂરી કરે અર્થાત એક મહિનાના રોઝા રાખી લે અથવા તો પછી કસમ તોડવાનો જે કફાફરો છે, તે અદા કરી દે. ૩. મુબાહ નઝર: જેમ કે: (હું અલ્લાહ સમક્ષ પ્રતિજ્ઞા કરું છું કે હું મારા વસ્ત્રો પહેરીશ), અને તેનો હુકમ: તેને વસ્ત્રો પહેરવા અથવા શપથ તોડવા માટે પ્રાયશ્ચિત કરવા બંને વચ્ચે પસંદગી કરવાનો અધિકાર છે. ૪. મકરૂહ પ્રતિજ્ઞા: જેમ કે: (હું અલ્લાહ સમક્ષ પ્રતિજ્ઞા કરું છું કે હું મારી પત્નીને છૂટાછેડા આપીશ), તેનો હુકમ: ભલામણ કરવામાં આવે છે કે તે શપથ તોડવા માટે પ્રાયશ્ચિત આપે અને તેણે જે પ્રતિજ્ઞા લીધી છે તે ન કરે. જો તે કરે છે, તો તેના પર કોઈ પ્રાયશ્ચિત આપવાની જરૂર નથી. ૫. ગુનાહની નઝર: જેમ કે કોઈ એમ કહે: (અલ્લાહની કસમ! હું ચોરી કરવાની નઝર માનું છું) તેનો હુકમ: તેને પૂરી કરવી હરામ છે, અને કસમનો કફ્ફારો આપવો પડશે, જો તે આમ કરશે, તો ગુનેગાર ગણાશે અને તેણે કફ્ફારો આપવાની જરૂર નથી. ૬. અનુસરણ માટેની નઝર: જેમ કે કોઈ બંદો એમ કહે: (અલ્લાહની કસમ! હું આવી અને આવી નમાઝ પઢીશ) અલ્લાહની નિકટતા માટે, અને જો તે કોઈ શરત લગાવે છે, બીમારની શિફા માફક, તો તેના માટે તે શરત પૂરી કરવી અનિવાર્ય છે, જો તે એમ કરે, તો અને જો તેને શરતી બનાવવામાં ન આવે, તો તેને પૂરી કરવી સંપૂર્ણપણે ફરજિયાત છે.
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ રસિયન બોસ્નિયન હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી સ્વાહીલી થાય આસામી الهولندية الدرية المجرية الجورجية المقدونية الخميرية
ભાષાતર જુઓ